સ્વરોજગાર લક્ષી લોન યોજના 2023 આજે આ યોજના વિષે આપડે ગુજરાત સરકાર ની સ્વરોજગાર લક્ષી લોન યોજના ની વાત કરવાના છીએ. સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ તમે વિવિધ કામો માટે લઈ શકાય જેની આ પોસ્ટ માં વાત કરીશું. આ યોજના ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ, તા:૩૦/૯/૨૦૧૭ના મુજબ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. જેમાં બિનઅનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ઈબીસી/૧૦૨૦૧૮/૮૧૪/અ.૧, તા:૧૫/૮/૨૦૧૮ના મુજબ સ્વરોજગારલક્ષી લોન યોજનામાં બિનઅનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેવા અરજદારો માટે યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
સ્વરોજગાર લક્ષી લોન યોજના 2023
રાજ્યના બિન અનામત વર્ગના લોકોને પોતે સ્વરોજગારી મેળવવા માટે ની લોન સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે જેમાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા હાલ આનો અમલ થયેલ છે. આ લોન અલગ-અલગ 3 સ્વરોજગારી માટે આપવામાં આવે છે જે નીચે મુજબની છે.
યોજના નું નામ | સ્વરોજગાર લક્ષી લોન યોજના |
સહાય | આ યોજના માં 3 પ્રકાર ના રોજગાર ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | બિનઅનામત વર્ગ ના લોકો રોજગારી મેળવી શકે અને આગળ આવી શકે. |
લાભાર્થી | બિનઅનામત વર્ગ ના ગુજરાત રાજ્ય ના લોકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | Helpline Number: 079-23258688/23258684 |
મોટા-લોડીંગ વાહનો માટે લોન
આ યોજના માં બિનઅનામત વર્ગ નાં લોકો ને રોજગાર માટે ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી 6 લાખ રૂપિયા ની લોન મળશે
નાના વાહન માટે ની લોન
જો લાભાર્થી ને સ્વરોજગારી માટે કોઈપણ નાના વાહન ની જરૂર હોય જેવા કે રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે માટે તેવા વાહનોની “On Road Cost” જે કિંમત હશે તે કિંમત સરકાર દ્વારા લોન પેટે આપવામાં આવશે.
નાના ધંધા માટે ની લોન
આ યોજના માટે જેઓ નાના ધંધા-રોજગાર શરૂ કરવા માંગે છે જેવા કે દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે માટે પણ લોન આપવામાં આવે છે. જેમાં રોજગાર શરૂ કરવા માટે સરકાર તરફથી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.
યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો
- રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
- વ્યવસાય જેવા કે કરીયાણાની દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે રૂ.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
- ઉપરોકત યોજના માટે લોન વાર્ષિક ૫ ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે ૪ ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.
- ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂ ડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.૬.૦૦લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે
- અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિનાઅનામત વર્ગનાં હોવા જોઈએ.
- અરજદારની ઉંમર ૧૮વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ.
- ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫% સાદા વ્યાજ અને મહીલાઓ માટે ૪% રહેશે.પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ કે તેથી ઓછી.
નાના પાયા ની સ્વરોજગારી માટે નાણાંકીય સહાય નું વ્યાજ દર
ઉપરોક્ત બતાવ્યાં મુજબ લાભાર્થી ને અલગ અલગ 3 પ્રકારે જે વ્યવસાય શરૂ કરવાનો હોઈ તે મુજબ લોન મળશે અને એ લોન નું વ્યાજ નીચે મુજબ નું રાખવામાં આવેલ છે.
નાના વાહન લોન આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે નાના ધંધા માટે ની લોન આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે. મોટા-લોડીંગ વાહનો માટે લોન ઉપર દર્શાવ્યા મુજબ વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
મોટા-લોડીંગ વાહનો માટે લોન
ઉપર દર્શાવ્યા મુજબ વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
નાના ધંધા માટે ની લોન
આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.
નાના વાહન માટે ની લોન
આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે. મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે
અરજીપત્રક સાથે સહાય મેળવવા માટે પ્રમાણપત્રો અને દસ્તાવેજો
- લાભાર્થીના આવક/જાતિના દાખલા સક્ષમ અધિકારીશ્રીના.
- લાભાર્થીની ઉંમરનો પુરાવો.
- લાભાર્થનો રહેઠાણનો પુરાવો.
- બેન્ક અને સંસ્થાના બાકીદાર ન હોવાનો દાખલો.
- સબંધિત ધંધા માટેનું લાયસન્સ.
- ધંધાના સ્થળ અંગેના પુરાવા.
- સબંધિત ધંધા માટેના અનુભવનું પ્રમાણપત્ર.
- લાભાર્થીએ જે હેતુ માટે માંગણી કરેલ છે તેમાં પેટા માહિતી તરીકે વિજળી જોડાણ તેમજ આનુસાગિક માહિતી આધાર પુરવા સાથે રજુ કરવાના રહેશે.
સ્વરોજગાર લક્ષી લોન યોજનાઓ માટેના ધિરાણના માપદંડ
- વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકુ લાયસન્સ હોવું જોઈએ તથા નાના વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
- મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો(હાઈપોથીકેશન) કરવાનું રહેશે.
- વાહન મેળવ્યાના ત્રણ માસ પછી ૫ વર્ષ ના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
- નાના વ્યવસાય લોન મેળવ્યાનાં ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશેતથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી ૫ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે.
- લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
- દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.
મહત્વના જરૂરી આધારો
- શૈક્ષણિક લાયકાત
- ઉંમરનો પુરવો
- આધારકાર્ડ
- અરજદારનુ નામ હોય તેવુ રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર
- કુટુંબની આવકનો દાખલો
- આઈ.ટી.રીટર્ન, (તમામ- PAGE) ફોર્મ-૧૬
- ધંધાના સ્થળનો આધાર
- ધંધાના અનુભવનો આધાર
- પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર ( પરિશિષ્ટ-૩)
- અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ ( આઈ.એફ.સી કોડ સહિત)
લાભાર્થીની પાત્રતા અને માપદંડ
લાભાર્થી આદિજાતિના સભ્ય હોવા જોઇએ જેની અવક મર્યાદા વાર્ષિક 1 લાખથી ઓછી હોવી જોઇએ અને જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ છે તેનો અનુભવ હોવા જોઇએ અને તે અંગે મેળવવા પાત્ર જરૂરી લાયસન્સો મેળવેલા હોવા જોઇએ.લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને પપ વર્ષથી વધુ હોવી ન જોઇએ.લાભાર્થી બેન્ક કે અન્ય સંસ્થાનો બાકીદાર ન હોવા જોઇએ.રજુ કરેલ જામીનોની મિલ્કતાના પુરાવા અને જામીનોના સોગંદનામા રજુ કરવા.
સહાયકી વિતરણની પ્રવૃતિ : મંજુર કરેલ ધિરાણની રકમનો ચેક વ્યકિતને આપવામાં આવે છે.
અરજી કયાં કરવી કે અરજી કરવા માટે કોનો સંપર્ક કરવો : કોર્પોરેશન ધ્વારા આપવામાં આવતી જાહેરાત અન્વયે સબંધિત વિસ્તારની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં ફરજ બજાવતા કોર્પોરેશનના આસી.મેનેજરશ્રી પાસેથી નિયત કરેલ કિંમતનું અરજી પત્રક મેળવી અરજીપત્રકમાં જણાવેલ વિગતે દરખાસ્ત તૈયાર કરી સબંધિત પ્રાયોજના કચેરીમાં મોકલવાની રહે છે. સબંધિત પ્રાયોજના કચેરી ભલામણ સહ કોર્પોરેશનને મોકલી આપે છે.
સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ મેળવવા અંગે ની માહિતી
યોજનાનું નામ | કોર્પોરશેશનની મૂડી ભંડોળ યોજના હેઠળ સ્વરોજગારીની યોજના હેઠળ વ્યકિતગત ધોરણે વિવિધ હેતુઓ માટે લોન. |
યોજનાનો સમયગાળો | નાણાંકિય ઉપલબ્ધીને ધ્યાને લઈ કાયમ અલમ થાય છે. |
કાર્યક્રમનો ઉદેશ | ગુજરાતમાં વસતા અદિજાતિ ઇસમો આર્થિક રીતે પગભર થાય તે અન્વયે રોજગારી હેઠળ નાના મોટા ધંધા રોજગાર માટે વિવિધ હેતુઓ (યોજનાઓ) હેઠળ નકકી કરેલ વ્યાજના દરે લોન ધિરાણ. |
કાર્યક્રમના ભૌતિક અને નાણાંકિય લક્ષ્યાંકો | કોર્પોરેશનની નાણાંકિય ઉપલબ્ધી લાભાર્થીઓની ધિરાણ માંગણીની રકમને ધ્યાને લઇ લક્ષ્યાંકો નકિક કરવામાં આવે છે. |
સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ
કોર્પોરેશન તરફથી ફક્ત સહકારી મંડળીના આદિજાતિ સભ્યોને વિવિધ હેતુ માટે ધિરાણ કરવાની જોગવાઈ હતી જેને કારણે જે આદિવાસી ઈસમો સહકારી મંડળીના સભ્ય ન હતા તેઓ ધિરાણના લાભથી વંચિત રહેતા હતા જે અન્વયે રજૂઆત કરતાં સરકારશ્રીએ જાહેરનામા -ખ-શ-પ-ટી-ડી-સી ૧૦૯૫-૧૭૦૨-૭૭-૭૭ તા. ૫-૯-૯૭ના રોજ વ્યક્તિગત ધિરાણની મંજૂરી આપેલ છે. જે અન્વયે મૂડીભંડોળ જે આદિવાસી ઈસમ વાર્ષિક એક લાખ (૧ લાખ)ની મર્યાદામાં આવક ધરાવે છે. તેઓની નીચે જણાવેલ હેતુ માટે યોજના અનુસાર રૂ . ૫ લાખ સુધીનું ધિરાણ નાના મોટા રોજગારધંધા ઉઘોગ માટે લાોન ધિરાણ પૂરૂં પાડવામાં આવે છે.
પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સંપર્ક કરવો.
કાર્યપાલક નિયામક શ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુન્ડા ભવન, સેક્ટર- ૧૦/એ, ગાંધીનગર.
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૮૬
લોન મેળવવા માટેનુ ફોર્મ
સ્વરોજગાર લક્ષી લોન યોજના હેતુ
- કડીયા કામ
- સુથારી કામ
- લુહારી કામ
- ઝેરોક્ષ મશીન
- દરજી કામ
- કરિયાણાની દુકાન
- પ્નોવીઝન સેટર્સ
- કોમ્પ્યુટર મશીન
- મંડપ ડેકોરેશન
- રસોઈના વાસણ
- સાયકલ રીપેરીંગ
- ફોટો સ્ટુડીઓ
- ઈલેક્ટ્રોનિક્સ સાધન
- ધડિયાળ રીપેરીંગ
- સેન્ટીંગ કામના સાધનો
- વેલ્ડીંગ મશીન
- બેન્ડવાજા
- પાનનો ગલ્લો
- માઈક સેટ
- અનાજ દળવાની ધંટી
- ફોટો ફ્રેમનો ધંધો
- કંગન સ્ટોર્સ
- એગ્રો સર્વિસ સ્ટેશન
- એમ્બ્રોડરી મશીન
- સીમેન્ટની હોલ સેલ દુકાન
- મીની રાઈસ/દાળ મીલ
- સીરામીક
- ફરાસખાના
- પ્રિન્ટીંગ પ્રેસ
- સ્પેર પાર્ટ્સની દુકાન
- કાપડની દુકાન
કેવી રીતે ઓનલાઇન એપ કરવી
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનુસુચિત જાતિના લોકોના વિકાસ માટે સ્વરોજગારી માટે કામ કરે છે. વાહનવ્યવહાર માટે ઘણી બધી યોજનાઓ અમલમાં આવી રહી છે. એસ.ટી.જ્ઞાતિના નાગરિકોને તબેલા માટે અધિકાર આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મનું પ્રમાણપત્ર હોય. ગુજરાતમાં પશુપાલન લોન ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી. જે માહિતી નીચે મુજબ છે.
- ગૂગલ સર્ચને “આદિજાતિનિગમ ગુજરાત” ટાઈપ આગેવાનો.
- જેમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાતની અધિકૃત વેબસાઈટ યાદ આવશે.
- હવે તમે હોમ પેજ પર ” લોન માટે અરજી કરો
- બટન પર ક્લિક કર્યા બાદ “ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ” નામનું નવું પેજ યાદ આવશે.
- જેમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સરકાર દ્રારા ચાલતી વિવિધ યોજનાના નામ આવશે જેમ કે
- જુઓ અભ્યાસ
- પાઇલોટ તાલીમ
- સ્વરોજગારી
- યોગ્યાઇ માછીમારો માટે પગભર યોજના
- પોલ્ટ્રી ફાર્મ
- તબેલા
- જેમાં સ્વરોજગારી પર ક્લિક પસંદ
- તમારા દ્વારા પ્રથમ વખત જ “લોન એપ્લીકેશન” કરતા હશો તો સિંગ અપ” પર ક્લિક કરો માગો”.
Sing Up
- હવે વ્યક્તિગત ID બનાવવા માટે વ્યક્તિગત માહિતીની માહિતીની માહિતી આપવી.
- તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ કોડ બાદ બાદ “ઉપર” બટન પર ક્લિક કરવા ચાહવું.
Application Login
- તમે વ્યક્તિગત લોગીન કરો છો “અહીં લોગિન કરો” પછી પોતાના લોગિન આઈડી અને પાસવર્ડમાં લોગિન કરો.
- તમે વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “મારી અરજીઓ” “હવે એપ્લાય કરો” બેઠકમાં.
- હવે અરજી કરો પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “સ્વ રોજગાર” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “સ્વરોજગાર” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોનું ધ્યાન રાખો પછી જોઈને વાંચો. પ્રક્રિયા વાંચો હમણાં જ અરજી કરો” ક્લિક કરીને ચિંતન કરો.
My Application
- હવે અરજી કરો પછી “મારી એપ્લિકેશન” પર ક્લિક કરો પૂછો.
- હવે અરજદારની માહિતી, અરજીની વિગત, અરજદાર મિલ્કત ની વિગતની વિગતોની વિગતોની છે.
- લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતોદારી, લોનની વિગતો, જામીનની વિગતોની વિગતો.
- યોજના પસંદ કરીને “સ્વરોજગારની અંદર” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની સત્તાની જરૂર છે.
- તમે નિર્ધારિત જામીનગીરીની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યાના ડોક્યુમેન્ટ અપલોડ વિગત.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ પુનઃપ્રાપ્તિ કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- અંતે, કન્ફર્મ અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. ખુદની પ્રિન્ટ સાચવી રાખો.
1 thought on “Self Employed Loan Scheme 2023 | સ્વરોજગાર લક્ષી યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરો”